સમી સાંજ નું વાતાવરણ એટલે મારો પ્રિય સમય..ગુલાબી ગુલાબી આકાશ,હુ મારી બાલ્કની માંથી જોવ તો મને એમ થાય કે આ સમય પુરો થાય જ નહી...આકાશ ને નીરખે જ રાખુ..બધુ કામ પતાવીને હુ આ, સમય ને મારી માટે રાખું...
આજે પણ બાલ્કની માં આરામ ખુરશી નાંખીને બેઠી હતી.. આરામ ખુરશી નો એક ફાયદો એ જ કે એમાં પોતે જ નજર ઉપર જ રહેતી..એટલે બીજે ક્યાંય જોવનો પ્રશ્ન જ ન આવતો.
રોજ ની જેમ આજે પણ હુ સાંજ નાં ખુશ્નુમા વાતાવરણ ને મારા હ્રદય માં ભરતી હતી. ત્યાં નીચે થી કોઇક્નાં બૂમો પાડવાનો અવાજ આવ્યો..હવે તો મારે ઉભા થઈને નીચે જોયે જ છુટકો કરવાનો હતો..હુ ઊભી થઈ અને જોયુ તો એક મોટી ઉમર નાં માજી પર એની વહુ બૂમો પાડતી હતી.."આ તમારી ગંદકી અમારે સાફ કરવાની..આ તમે શું માડ્યુ છે..હજી કેટલા વર્ષો જીવશો મારા લોહી પીવા"..માજી ચુપચાપ સાંભળતા હતા..મને દયા આવી.એમ થયુ કે ચલ ને માજી ને અહીંયાં લઈ આવું..પણ હમણાં વહુ ને છંછેડવા જેવી ન હતી..એટલે મારે સમસમીને બેસી
જાવું પડયુ..થોડીવાર બધું ચાલ્યું અને પછી બધું શાંત થઈ ગયુ..
મે પછી જરા બહાર આંટો મારવાનુ નક્કી કર્યુ..મારા માતા પિતા હતા નહી..મારો ભાઈ અલગ થઈ ગયો હતો અને મે મારા લગ્નજીવન માં છૂટાછેડા લઈ લીધા હતા..એટલે મારે કોઇને જવાબ નહોતો આપવાનો..કે ક્યાં જાય છે? શું કામ જાય છે?ક્યારે આવીશ હુ મારી મરજી ની માલીક હતી.. નીચે ઉતરી ત્યાં મને એ માજી નો દીકરો મલ્યો.. મે એને પુછ્યુ" આ શું ચાલે છે તારા ઘરમાં...તારા ઘર વાળા ને કહે કે જરા શાંતિ થી વાત કરે માજી સાથે..
એ કાંઈ ન બોલ્યો.ચુપચાપ માથુ નીચે રાખીને ઉભો હતો..મને ખબર પડી ગઈ કે આ ભાઇ નું ઘર માં કાંઇ ચાલતું નથી..
બીજે દિવસે ૧૫ મી ઓગષ્ટ હતી..અમારી કોલોની માં જાત જાતનાં પ્રોગ્રામ થતા હતા..સૌથી પહેલાં હ્તુ પ્રવચન વીધી..એક પછી એક બધાએ બોલવાનું ચાલુ કર્યું..દેશ માટે, દેશ ની પ્રગતિ માટે..દેશ નાં નેતાઓ માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્શાહન આપતા પ્રવચન કર્યા..બધાએ તાળી ઓ નાં ગડાગડાહટ સાથે બધાને વધાવ્યા..હવે બધાએ મને કહ્યુ કે તમે પણ બે શબ્દ કહો..મે કોઇ વિષય નક્કી કર્યો ન હતો..પણ આવતી ચેંલેજ ને સ્વીકારવુ એ એક આદત હતી એટલે ઉભી થઈ અને જેવી માઈક પાસે જાતી હતી ત્યાં ઓલા માજી ને જોયા કે જે એક ખૂણા માં બેઠા હતા..મે માઈક લઈને કહ્યુ કે "આજે બધાએ બહુ સારા પ્રવચન આપ્યાં..પણ દેશ માટે.નેતા ઓ માટે,જેમાં નુ કાંઇ આપણે બદલી નથી કરી શક્વાના..તો આપણે એટલુ જ વિચારીયે કે, જે આપણા હાથ માં હોય, અને જે આપણે બદલી કરી શકતા હોઈયે.
અને માર હીસાબે સૌથી મોટો મુદ્દો છે કે આપણા ઘર નાં વ્રુધ્ધો..હુ હમણા એક પુસ્તક વાંચતી હતી એમાં મે વાંચ્યુ કે આપણા એક નેતા ને કહેવામાં આવ્યું કે આપ અમારાં વ્રુધ્ધાશ્રમ નું ઉધ્ગાટન કરવા આવો.તો એમણે ના પાડી અને કહ્યુ કે જ્યારે એ વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે મને કહેજો હું આવીશ..મને એમની એ વાત ના ગમી.મને એમ થયુ કે શું કામ વ્રુધ્ધાશ્રમ નહી ખોલવાનાં.. ઘરમાં દિકરા વહુ બરોબર ન રાખતા હોય અને વ્રુધ્ધાશ્રમ ખૂલે નહી તો વ્રુધ્ધો કેટલાં હેરાન, એ કોઇ એ વિચાર્યું છે? જેમનાંથી પોતાનાં વ્રુધ્ધો ન સચવાતા હોય એમને મારી વિનંતી છે કે આશ્રમ મા ભરવાના પૈસા મારી પાસે થી લઈ જાય પણ એમને શાંતી થી જીવવા દ્યો..અને આજે હુ એ વાતની શરૂઆત કરું છુ, આપણી જ સોસાયટી ના માજી થી જો તેઓ ઇચ્છતા હોય તો હું એમને વ્રુધ્ધાશ્રમ માં મુકી આવવા તૈયાર છુ.. અને હુ ચુપ થઈ ગઈ..ન તાળી ઓ પડી ન કાંઇ અવાજ જાણે સ્મશાન ની શાંતિ..હુ શાંતિ થી બધુ જોતી હતી..કે કોણ હવે શું કરે છે? બધાં ની નજર એ માજી પર. વહુ ગુસ્સે થી મને અને એ માજી ને જોતી હતી... માજી ધીરે થી ઉભા થયા.ને જોર થી એમણે તાળી પાડવાનું શરૂ કર્યું.. અને બધાં એ એમનો સાથ આપ્યો..એ માજી એ ઇશારો કર્યો અને કહ્યુ "મને માઈક આપો"
બધાએ એમનાં સુધી માઈક પહોચાડ્યો..માજી બોલ્યા.કે દીકરી તે આજે મારો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો..જલ્દી ચાલ મારે વ્રુધ્ધાશ્રમ માં જાવું છે..અને એમના દીકરા ની આંખો માં થી અશ્રુ સરી પડયા..
નીતા કોટેચા..