Sunday 16 October 2011

નેણલે તેડાવું નીંદરપરીને....

નેણલે તેડાવું નીંદરપરીને....
" જ્યાં માત્રુત્વ છે ત્યાં છે હાલરડું..
હંસા પ્રદીપ
... માતા-બાળક, આ સંબંધ જે એવો છે કે તેને દુનિયાની કોઇ કુટનીતિ ભ્રષ્ટ ન કરી શકે. પોતાનાં કાળજાં ના ટુકડાનું ઊંઘમાં રેલાતું મંદ મંદ સ્મિત કેટલો આનંદ આપે તે માપવા કોઇ યંત્ર ન બની શકે તેમાં પણ બાળકને પોઢાડવાની ક્રિયા હાલરડાંની એક આખેઆખી સંસ્ક્રુતિ ,જેમાં ગાય આવે , દૂધ,ઘી,માખણ, લાડુથી લઈ પરી રાણી આવે. પણ હાઇફાઇ જમાનામાં આ હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. આપણી મા,દાદી , નાની ગાતા એવા હાલરડાં આવડે હવે ? હાલરડું! દાદી,નાની પાસેથી સાંભળ્યા છે .આજે માતા બનતી દીકરીઓને એવાં હાલરડાં ગાતા આવડે? ન આવડે તો દો. હંસા પ્રદીપ મળવા જેવી વ્યક્તિ છે .વિસ્લ્રુત થઈ રહેલી એ સંસ્ક્રુતિ પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલા હંસાબેન હાલરડાં વિષે વાત કરતા કહે છે , "માત્રુહ્રદયના વાત્સલ્યમય સહજોદ્ગાર હાલરડાં એ ભાવનાત્મક સુત્ર છે જે માનવીય વિકાસક્રમમાં માતા અને સંતતિને જોડે છે .વિશ્વનાં દરેક ખૂણે, દરેક જાતિમાં માત્રુત્વ છે અને જ્યાં માત્રુત્વ ભાષા છે ,ત્યાં હાલરડાં છે.બાળક પર હાલરડાંના બે પ્રકારનાં પ્રભાવ પડે છે સ્થાયી અને અસ્થાયી, બાળકને નિદ્રાવસ્થા તરફ દોરી જનાર પ્રભાવ અસ્થાયી હોય છે. સ્થાયી પ્રભાવ બાળકમાં સંસ્કારગઠન અથવા ચરિત્રગઠનના રૂપે ફલિત થાય છે"રૂઇયા કોલેજમાં એમ.એ કરતી હતી ત્યારે એક પ્રોફેસરે ટકોર કરીગુજરાતી છોકરીઓ લગ્ન પછી કંઇ કરતી નથી,આ કારણે મનમાં એક ચેલેન્જનો ભાવ ઉત્પન્ન થયો. લોક સાહિત્યમાં હાલરડાંનું સ્થાન છે.લગ્ન કરીને ભાવનગર ગઇ. ૧૯૬૪માં પ્રથમ પુત્ર જલદીપનો જન્મ થયો.તેને ઊંઘાડવા વખતે ફિલ્મીગીતો ગાતી,ત્યારે જૂની ચેલેન્જ પણ યાદ આવી, બાજુમાં જ આવેલી એસ.એન.ડી.ટીકોલેજમાં ગઈ ને હાલરડાં પર પુસ્તક માગ્યું, મને મેઘાણીનું પુસ્તક મળ્યું . મે જયેન્દ્ર ત્રિવેદીને કહ્યું મારે હાલરડા પર પીએચડી કરવું છે. તેઓએ કહ્યું "મુશ્કેલ છે કારણકે હાલરડાં પર તો કોઇ સાહિત્ય જ ઉપલબ્ધ નથી " મેં મહેનત શરુ કરી પણ કાંઇ થયું.બે વર્ષ આમ જ નીકળી ગયા. વિષય સાંભળીને બધાંને નવાઈ લાગતી . દુનિયાભરના અનેક દેશોની 'એમ્બેસી' સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલાબાય (હાલરડાં) મળ્યા. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીનીં હાલરડાં પણ ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય.તેથી ફિલ્ડવર્ક શરૂ કર્યું . બાળક, ઘર,પરિવારની જવાબદારી હતી જ. ગુજરાત,સુરત,ડાંગ , કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ .હું તેમની ભાષાન સમજું તેઓ મારી ભાષા ન સમજે . સમજીને નોંધ કરતી ગઈ . મને એક લીટી મળે તોય મારે મન એની કિંમત . સાથે સાથે લાઇબ્રેરીઓમાં જતી.ગુજરાત પછી આંધ્ર ,મધ્ય પ્રદેશ ગઇ. મારા પતિ એક બે મહિના રજા લે.સાથે ફરે,દીકરાને સાચવે. આમ આઠ નવ વર્ષ થયા પછી અમે મુંબઈમાં સેટલ થયા.૧૯૭૩ માં બીજો પુત્ર હિમજલ જન્મ્યો. એ બહુ તોફાની તેથી કામ ઓછું થતું હતું . દિલ્હીનાં ઓલઇન્ડિયા રેડિયોનાં પ્રોડ્યુસર ડો.શ્યામ પરમારે માળવી લોકગીત પર કામ કરેલું તેમણે મને ઇન્ડેકસ બનાવી આપ્યું તેથી કામ આગળ વધારવાનો
સુઝકો પડ્યો .મુંબઈ આવીને જીવનમાં મોટી ઉથલપાથલ થઈ તેથી નોકરી કરવાની જરૂર પડી.મુંબઈ યુનિવર્સિટીના હિન્દીનામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. પ્રભાત મળ્યાં . મારો ઉત્સાહ વધાર્યો. બરાબર માર્ગદર્શન મળ્યું ને ૨+૧૨ વર્ષોએ૧૯૮૧માં મારો શોધ નિબંધ 'હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્યતુલનાત્મક અધ્યયન' હિન્દીમાં કર્યો. ૧૯૬૬માં આ નિંબધે પુસ્તકાકારેપ્રકાશિત થયો " આટલી બધી જહેમત ઉઠાવીને પીએચડી કરનાર દો.હંસા પ્રદીપે "નેણલે તેડાવું નીંદરપરીને" તેમજ ' હુલુ હુ...લુ... હા..લ..રે' હાલરડાં જેવાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.
તે ઉપરાંત 'કીડી કાકી' બાળગીતો ને જોડકણાનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે . ભાવનગરમાં અખબારમાં મહિલા વિભાગનું સંપાદન કરતા હતા ત્યાં જ તેંમણે 'સ્વાતિ નારી સંમેલન' ની સંસ્થાની સ્થાપના કરી હતી. એ સંસ્થા મારફત સામાજિક, સાહિત્ય પ્રવ્રુતિ તેઓ કરતા. હજુ પણ એ સંસ્થાકાર્યરત છે . ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં ટ્રસ્ટી છે.;સાર્થક સંવાદ'અને 'લેખિની 'સાથે સંકળાયેલા છે . તાજેતરમાં જ તેમણે 'સાહિત્ય સાનિધ્ય'ની શરુઆત કરી છે .જેના અંતર્ગત મહિને એકવાર મળીને બહેનો સાહિત્યિક પ્રર્વુતિ કરે છે . હંસાબેનના 'નેણલે તેડાવું નીંદરપરી' નેમહારાષ્ટ્ર,ગુજરાતી સાહિત્ય એકેડેમીનું બીજું ઇનામ, કિરણ્દેવી સરાફ ટ્ર્સ્ટ અને આંનદોત્સવ આયોજિત કાવ્ય સ્પર્ધા 'ઇશ્વર ' માટે પણ પુરસ્કાર મળ્યો છે..

1 comment:

Anonymous said...

congretulations for your acheivements.
please visit

www.pravinash.wordpress.com

leaveyour comment

thanks